પ્રાર્થના: વસુદેવ, ગુરુબ્રહ્મા, યા કુન્દેદુતુષાર, સ્થાને ઋષિકેષ (ગીતા અધ્યાય 11)
રાષ્ટ્રગાન: વૈદિક રાષ્ટ્રગાન (ૐ આ બ્રહ્મન) ઉપરાંત સપ્તાહમાં એકવાર ‘વંદેમાતરમ’ અને જનગણ મન
વાગલે (વાંચન, ગણન, લેખન) પર મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરવું. વારંવાર નિદાન કસોટી (રુબ્રિક આધારિત) લઈને ઉપચારાત્મક શિક્ષણકાર્ય કરવું.
શિક્ષકોને સક્ષમ અને સજ્જ કરવા અને તે માટે જરૂરી શૈક્ષણિક સાધનો, ટેકનોલોજી તેમજ માનવ સંસાધનો વગેરે ઉપલબ્ધ કરાવવા
શિક્ષણ માટેના આધુનિક સાધનો અને અભિગમ (edutainment and teachnology)નો વિવેકપૂર્ણ ઉપયોગ
વાસ્તવિક જીવનના અનુભવો માટે અને ભવિષ્યના પડકારોને સમજવા માટે પ્રોજેક્ટ કાર્યના સ્વરૂપમાં વિદ્યાર્થીઓને સમુદાય વચ્ચે મોકલવા
અધ્યાપન કરતાં અધ્યયન પ્રક્રિયા પર ભાર મૂકી શિક્ષકો ફેસીલીટેટરની ભૂમિકામાં
પાઠ્યપુસ્તકના તમામ એકમનું આપણા પરિપ્રેક્ષ્યમાં આયોજન કરવું