ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી - વિશે

  • ગણપતિ ઉત્સવ 10 દિવસ માટે ઉજવવામાં આવે છે.
  • ગણેશ ચતુર્થીના બે અઠવાડિયા પહેલા બાળકો માટીમાંથી ગણપતીજીની મૂર્તિ બનાવે છે
  • સંસ્થામાં ગણપતિજીની બે થી ત્રણ ફૂટની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે.
  • આ મૂર્તિ બાળકો અને નિષ્ણાંત (ગણેશ વંદના પરિવાર) જોડે મળીને બનાવે છે
  • મૂર્તિને રંગ કરવા માટે જાતે બનાવેલા પ્રાકૃતિક રંગોનો ઉપયોગ થાય છે
  • ગણેશ ચતુર્થીના પ્રથમ દિવસે બાળકો દ્વારા જ ભગવાનનું ષોડશો ઉપચાર દ્વારા પૂજન કરી સ્થાપના કરવામાં આવે છે
  • દરરોજ गणपति अथर्वशीर्षનો પાઠ કરવામાં આવે છે. બાળકો તે કંઠસ્થ કરે છે.
  • અંતિમ દિવસે ભગવાનનું પૂજન કરી બાળકો દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવમાં તેમનું વિસર્જન કરવામાં આવે છે.
  • વિસર્જન કરતા પહેલા વિસર્જનની સમજણ સ્પષ્ટ કરવામાં આવે છે.

હેતુ

  • મૂર્તિપૂજા અને વિસર્જનની સમજણ પાક્કી થાય છે
  • ભગવાન સર્વવ્યાપી છે. ભગવાન મૂર્તિમાં તો છે જ પણ તે કુદરતના અન્ય તત્વોમાં પણ છે.
  • વિસર્જન પછી અન્ય તત્વોમાં પણ ભગવાનને જોતા શીખે.
  • ભગવાન એ સર્જન અને વિનાશથી પર છે. ભગવાન અનંત અને સર્વવ્યાપી છે.

પરિણામ

  • બાળકો માટી કામ કરતા શીખે છે.
  • પ્રાકૃતિક તત્વો સાથે તાદાત્મ્ય વધે છે.
  • મૂર્તિ બનાવવાથી એકાગ્રતામાં વધારો થાય છે
  • મૂર્તિપૂજા અને વિસર્જનનો ખ્યાલ વિકસે છે.